________________
ઉપસંહાર
- ૬૧
આવે કે હું એકથી પાંચ સુધી બોલું એટલી વારમાં જ નહિ બતાવે તો ચારેયને ગોળીથી મારી નાખીશ. . જો તે મહિલા એમ કહે કે પુત્રને મારો તો તે માતા નથી, જો એમ કહે કે પિતાને મારો તો તે પુત્રી નથી, જે એમ કહે કે ભાઈને મારો તો તે બહેન નથી અને જો એમ કહે કે પતિને મારો તો તે પત્ની નથી. પરંતુ તે મહિલા તો એમ જ કહેશે કે તું મને મારી નાખ, કારણ કે તે માતા પણ છે, પુત્રી પણ છે, બહેન પણ છે અને પત્ની પણ છે. આ ચારેય ગુણો તેનામાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે ગુણો તેનામાંથી કાઢી. શકાય તેમ નથી.
પરંતુ તે ચારેય વ્યક્તિઓમાંથી જે પતિ છે તે તો તેને પત્નીના રૂપમાં જ જુએ છે, માતા, પુત્રી કે બહેનના રૂપમાં નહિ. જોકે તે વ્યક્તિ તેના જ્ઞાનમાં જાણે છે કે આ માતા પણ છે, પુત્રી પણ છે અને બહેન પણ છે; પરંતુ તેની દ્રષ્ટિમાં તો તે ફક્ત પત્ની જ છે. તેવી જ રીતે ભાઈની દ્રષ્ટિમાં તો તે ફક્ત બહેન જ છે, પુત્રની દ્રષ્ટિમાં તો તે ફક્ત માતા જ છે અને પિતાની દ્રષ્ટિમાં તો તે ફક્ત પુત્રી જ છે.
તો આ ચારેય વ્યક્તિઓની દ્રષ્ટિની કમાલ છે કે બાકીના ત્રણ ગુણોને તેઓએ દ્રષ્ટિમાંથી કાઢી નાખ્યાં છે. ભલે તેમનું જ્ઞાન બધું જાણે છે, પરંતુ દ્રષ્ટિને તો ફક્ત એક જ વાત દેખાય છે - અને એ જ દ્રષ્ટિની કમાલ છે.
- જ્ઞાનમાં કથંચિત હોય છે, તે બન્નેને જાણે છે, પરંતુ શ્રદ્ધા ફક્ત એકને જ સ્વીકારે છે. તેથી મારી દ્રષ્ટિમાં આ આત્મા તે મારો છે, હું જ તે છું, બીજા કોઈનો તે નથી, હું બીજા કોઈનો થઈ શકતો નથી – એમ સમજવું તે જ દ્રષ્ટિના વિષયની સમજ છે અને તેના આશ્રયથી જ ધર્મ થાય છે.