________________
પ્રકરણ ૧૨
ઉપસંહાર
વસ્તુ તો જેવી ભેદાભેદસ્વરૂપ છે, તેવી ને તેવી જ રહેશે. વસ્તુમાં કાંઈ કરવાનું નથી. આ જે બધી કમાલ છે તે તારી દ્રષ્ટિની કમાલ છે;- ભાઈ સાહેબ !
એક વસ્તુમાંથી કોને આપણે દૃષ્ટિમાં રાખીએ અને કોને ન રાખીએ એ કલા અજાણપણે જાણીએ જ છીએ. આ માટે હું સતિ ' સીતાજીનું ઉદાહરણ આપું છું.
સીતાજી જનકના પુત્રી હતા, લવ-કુશના માતાજી હતા, ભામંડલના બહેન હતા અને રામના પત્ની હતા. હવે હું આપને પૂછવા માંગુ છું કે સીતાજી માતા હતા કે પુત્રી, બહેન હતા કે પત્ની ? આપ કહી શકો છો તે કોણ હતા ?
આ ચારેય વસ્તુઓ (માતાપણું, પુત્રીપણું, બહેનપણું અને પત્નીપણું) સીતાજીમાં ફૂટીફૂટીને ભરી હતી. હવે જો સીતાજી જેવી જ કોઈ મહિલાને તેના પિતા, પુત્ર, ભાઈ અને પતિ સમક્ષ લાવવામાં આવે અને તેને કહેવામાં આવે કે આ ચારમાંથી એકને ગોળીથી ઉડાવી દેવામાં આવશે, બોલો તમે કહો કે કોને ગોળી મારૂં ? અથવા તેને એમ કહેવામાં