________________
૬૨.
- દ્રષ્ટિનો વિષય • નિશ્ચયરત્નત્રયની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતાનો એકમાત્ર આધાર દ્રષ્ટિનો વિષયભૂત આ ભગવાન આત્મા જ છે. આથી તેને જરૂર જાણો; તેમાં જ સાર છે, બાકી બધો સંસાર છે.
આ વિષયને સમજવા માટે ચિત્તની એકાગ્રતાની અત્યંત આવશ્યક્તા છે, તેને માટે ચિત્તનો અન્વય આવશ્યક છે. જો ચિત્ત વ્યતિરેકોમાં રોકાયેલું હશે, તો આ વિષય સમજમાં આવશે નહીં. - પૂ. ગુરૂદેવશ્રીની પણ એક પ્રતિજ્ઞા હતી કે ભલે કોઈ પણ કાર્યક્રમ હો, ચાહે પંચકલ્યાણક હો કે વિધાન; તેઓશ્રીના બે પ્રવચનોનો સમય નિશ્ચિત રહેતો હતો અને તે પ્રવચનોમાં કોઈની પણ ગેરહાજરી તેમને
સ્વીકાર્ય નહોતી. સૌધર્મ ઈન્દ્ર, ભગવાનના માતા-પિતા, અધ્યક્ષ, મંત્રીબધાની હાજરી પ્રવચનની શરૂઆત પહેલાં પાંચ મિનિટે આવશ્યક હતી.
પૂ. ગુરુદેવશ્રીનો આ નિયમ એ માટે હતો કે પંચકલ્યાણકના બધા કાર્યક્રમો પ્રવચન માટે જ છે. પંચકલ્યાણક માટે પ્રવચન નહીં પરંતુ પ્રવચન માટે પંચકલ્યાણક છે. પંચકલ્યાણકમાં ભગવાનની દિવ્યધ્વનિ દેશનાલબ્ધિમાં નિમિત્ત થાય છે, ઐરાવત હાથી આદિ આત્મદર્શનમાં નિમિત્ત થતા નથી.
- વરરાજા માટે જાન છે કે જાન માટે વરરાજા ? અરે ભાઈ! વરરાજા માટે જાન છે. તેવી જ રીતે તત્ત્વજ્ઞાનમાં આત્મકલ્યાણની ભાવના પ્રમુખ રહે છે. જ્યારે આપણા ચિત્તમાં તત્ત્વજ્ઞાનનો એવો મહિમા આવશે, ત્યારે જ દ્રષ્ટિનો વિષય આપણી સમજમાં આવશે, અન્યથા નહીં.
• આ વાતને સંતુલિત શબ્દોમાં વ્યક્ત કરવી તે ઘણું જ કઠણ કામ છે આ જે પૂ. ગુરુદેવશ્રીનું અસલી તત્ત્વજ્ઞાન છે, તેના ઉપર એક વાર મંથન કરીને પુસ્તકરૂપે લખવામાં આવે – એવી મારી ભાવના