________________
વિસ્તારક્રમ અને પ્રવાહકમ -
- ૪૯
" પ્રશ્ન - આ પ્રમાણે કાળની અખંડતાને સુરક્ષિત રાખવાથી દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યમાં અર્થાત્ દ્રષ્ટિના વિષયમાં શું પર્યાય ભળી નહિં જાય? કેમકે પરિણામોના અન્વયને જ તો કાળની અખંડતા કહેવાય રહી છે. જ્યારે પરિણામોનો અન્વયદ્રષ્ટિના વિષયમાં આવી ગયો, તો પરિણામ પણ આવી જ ગયા સમજો.
ઉત્તર - એમ વાત નથી, કેમકે આચાર્ય જયસેન અન્વયને ગુણનું અને વ્યતિરેકને પર્યાયનું લક્ષણ કહે છે. તેમના મૂળ શબ્દો આ પ્રમાણે છે:. “अन्वयिनो गुणा अथवा सहभुवो गुणा इति गुणलक्षणम् । व्यतिरेकिणः पर्याया अथवा क्रमभुवः पर्याया इति पर्यायलक्षणम्।"
આ કથનથી એ સ્પષ્ટ છે કે અનુસૂતિથી રચિત પ્રવાહ ગુણ છે, પર્યાય નહીં. કાળનો અન્વય (અખંડ પ્રવાહ) ગુણ છે અને કાળનો વ્યતિરેક પર્યાયો છે. આ રીતે કાળની અખંડતા-દ્રષ્ટિના વિષયમાં આવવા છતાં પણ પર્યાયો તેમાં આવતી નથી.” .
અનુસ્મૃતિથી રચિત પ્રવાહ બે પ્રકારનો હોય છે; એક તો વિસ્તારક્રમવાળો અનુસ્મૃતિથી રચિત પ્રવાહ તથા બીજે પ્રવાહક્રમવાળો અનુસૂતિથી રચિત પ્રવાહ. આત્મામાં જે અસંખ્ય પ્રદેશ છે, તે વિખરાઈને કદી અલગ-અલગ થઈ જતા નથી, કારણ કે તેમનામાં અનુસૂતિથી રચિત એક પ્રવાહ છે. જે રીતે પ્રદેશોમાં અનુસૂતિથી રચિત પ્રવાહ છે, તે જ રીતે પર્યાયોમાં પણ અનુસ્મૃતિથી રચિત પ્રવાહ છે.
પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાય એ બન્ને પૃથક પૃથફ હોવા છતાં પણ એટલી મજબૂતીથી જોડાયેલી છે કે એમની જોડ કોઈ મોતીઓમાં પરોવાયેલી સૂતરની દોરી સમાન નથી. જેમ મંદિરોમાં સંગેમરમરને જ ખોદી ખોદીને
૧ પ્રવચનસાર ગાથા ૯૩ની તાત્પર્યવૃત્તિ ટીકા ૨ સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૪-૮૫
-