________________
૩૮ -
• દ્રષ્ટિનો વિષય દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે' - એ ભાષા તો અધૂરી છે. પૂરી ભાષા તો એ છે કે દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય (વસ્તુ) નિત્ય છે અને પર્યાયદ્રષ્ટિથી દ્રવ્ય (વસ્તુ) અનિત્ય છે.”
• નાટકોની ભાષા જ હોય છે, તે અપૂર્ણ હોય છે; જ્યારે અદાલતની ભાષા, ન્યાયશાસ્ત્રની ભાષા પૂર્ણ હોય છે. નાટક સાહિત્યની અંતર્ગત આવે છે; તેથી સાહિત્યની ભાષામાં પર્યાય અનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે – માત્ર એટલું જ કહી દેવામાં આવે છે; પરંતુ આ વાક્યનો વાસ્તવિક અર્થ એ છે કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી દ્રવ્ય નિત્ય છે અને પર્યાયાર્થિક દ્રષ્ટિથી દ્રવ્ય અનિત્ય છે.
આ પ્રમાણે નિત્યતાનો અર્થ ‘વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો માત્ર જ નથી, પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ સામેલ છે; કારણ કે નિત્યતા અને અનિત્યતા બન્નેમાં કાળની અપેક્ષા છે. નિત્યતામાં કાળની અપેક્ષા છે અને અનિત્યતામાં પણ કાળની અપેક્ષા છે. વસ્તુ નિત્ય પણ કાળની અપેક્ષાએ છે અને વસ્તુ અનિત્ય પણ કાળની અપેક્ષાએ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં કાળને પર્યાય કહે છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પર્યાયને કાળ કહેવામાં આવે છે, ભાવને ગુણ કહેવામાં આવે છે અને દ્રવ્ય સ્વયં વસ્તુ છે; આ રીતે દ્રવ્ય-ગુણપર્યાયમાં પ્રદેશોને સામેલ કર્યા નથી. તે
આ રીતે નિત્યતા વાળો કાળનો ખંડ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે અને તે નિત્યતામાં માત્ર કદી નહીં પલટવું જ નહીં પરંતુ નિરંતર પલટવું પણ સામેલ છે.
જો આપણે નિરંતર પલટવાને અનિયતા કહીને દ્રવ્યમાંથી કાઢી નાખશું તો માત્ર પર્યાય જ નહીં નીકળે પરંતુ અનિત્યત્વ નામનો