________________
. ૩૬
- દ્રષ્ટિનો વિષય
નહીં પલટવાવાળો છે અને વસ્તુનો પર્યાયસ્વભાવ પ્રતિસમય પલટવાવાળો છે. આ બન્નેય વસ્તુના સ્વભાવ છે. એમ નથી કે દ્રવ્યસ્વભાવ દ્રવ્યનો સ્વભાવ છે અને પર્યાયસ્વભાવ પર્યાયનો. આ બન્નેય વસ્તુના નિત્ય સ્વભાવ છે.
હવે જો કોઈ અહીં પૂછે કે તેનું નામ પર્યાયસ્વભાવ કેમ રાખ્યું? અરે ભાઈ! પલટવાવાળો સ્વભાવ હોવાથી તેનું નામ પર્યાયસ્વભાવ રાખ્યું. પર્યાયસ્વભાવ વસ્તુનો સ્વભાવ હોવાથી દ્રવ્યસ્વભાવ જ છે. પર્યાય વિષે, પર્યાયની તરક્શી કહેવામાં આવે છે, તેથી તેને પર્યાયસ્વભાવ કહેવાય છે. પર્યાયસ્વભાવનું તાત્પર્ય પર્યાયનો સ્વભાવ નથી. “વસ્તુમાં પ્રતિસમય પરિવર્તન થશે એ બતાવવાવાળો પર્યાયસ્વભાવ છે. આ પર્યાયસ્વભાવ નિત્ય છે, અનિત્ય નહીં.
જે રીતે દ્રવ્યનો કદી પણ નહીં પલટવાનો સ્વભાવ છે, તેવી જ રીતે દ્રવ્યનો નિરંતર પલટવાનો પણ સ્વભાવ છે. હવે જો કોઈ એમ કહે કે “કદી પણ નહીં પલટવું અને નિરંતર પલટવું એ બન્ને એક સાથે કઈ રીતે હોઈ શકે છે ? આ પ્રશ્નનું સમાધાન ગ્રંથાધિરાજ સમયસારની ૩૦૮ થી ૩૧૧ ગાથાની ટીકાના નીચેના કથનમાં કરવામાં આવ્યું છે, જે દ્રષ્ટવ્ય છે :
“जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव ओव, नाजीवः; अवमजीवोऽपिक्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव ओव, न जीवः ।
પ્રથમ તો જીવક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી.”
આ પંક્તિઓમાં ‘પલટવું અને “નહીં પલટવું' - એ બન્ને વાતો સમયસાર (ગુજરાતી), પાનું ૪૫૮