________________
દ્રવ્ય-સામાન્ય
- ૨૭
એવી જ રીતે જે ઉલટા જઈએ તો આવી બે એકાઈઓને જોડવાનું કામ સંગ્રહનય કરે છે. અને વસ્તુઓને એ રીતે જોડતાં જોડતાં મહાસત્તા સુધી પહોંચી શકાય છે. આ રીતે મહાત્તાને ગ્રહણ કરવાવાળો ‘શુદ્ધસંગ્રહનય’ કહેવાય છે, ત્યાં સુધીના બીજા બધાં ભેદ છેલ્લામાં છેલ્લી એકાઈ-સુધી લઈ જનાર નયને “શુદ્રવ્યવહારનય' કહે છે. તે પહેલાંના બધા વ્યવહારનયોને “અશુદ્ધવ્યવહારનય’ કહે છે.
• આ રીતે સામાન્ય અને વિશેષ એવા ભેદ પ્રયોજનવશ જિનાગમમાં કરવામાં આવે છે. સામાન્યના અવલોકનને ધર્મ કહે છે, વિશેષના અવલોકનથી વિકલ્પની-રાગની-ઉત્પત્તિ થાય છે, જે અધર્મ છે.