________________
૨૩
પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
આપણે તે પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જાણવું પણ જરૂરી છે અને આપણે જે ગુણોને દ્રષ્ટિના વિષયમાં અભેદપણે રાખવા છે, તે ગુણોનું વાસ્તવિક સ્વરૂપ જાણવું પણ જરૂરી છે; કારણ કે વસ્તુને સ્વરૂપ (લક્ષણ)થી જ ઓળખી શકાય છે.
શાસ્ત્રોમાં ગુણોને પણ પર્યાય નામથી અભિહિત કરવામાં આવે છે. પર્યાય બે પ્રકારની હોય છે : (૧) સહભાવી પર્યાય અને (૨) ક્રમભાવી પર્યાય. ગુણને સહભાવી પર્યાય કહે છે અને પર્યાયને ક્રમભાવીપર્યાય કહે છે. આથી પર્યાયના નામે આપણે બધી પર્યાયોને દ્રષ્ટિના વિષયમાંથી કાઢી નાખી શકતા નથી.