________________
૨૨
- દ્રષ્ટિનો વિષય કાઢ્યો છે અને કાળના અભેદને દ્રષ્ટિના વિષયમાં રાખ્યો છે. નિત્યતા કાળનો અભેદ છે, તેને દ્રષ્ટિના વિષયમાંથી કાઢ્યો નથી.
આ વિષે લોકો ખોટું સમજે છે કે ગુણ અને પ્રદેશો સાથે પક્ષપાત કર્યો છે, કારણ કે ગુણભેદ અને પ્રદેશભેદ તો સમ્મિલિત ન કર્યા, પરંતુ ગુણો અને પ્રદેશોને રાખ્યા છે, જ્યારે પર્યાયને બધી રીતે બહાર કાઢી નાખી છે. 1. પરંતુ એમ નથી ભાઈ સાહેબ! જે રીતે દ્રવ્યના ભેદને બહાર કાઢ્યો છે અને દ્રવ્યનો અભેદ સમ્મિલિત કર્યો છે, ક્ષેત્રના ભેદને બહાર કાઢ્યો છે અને ક્ષેત્રનો અભેદ સમ્મિલિત કર્યો છે, ગુણોના ભેદને બહાર કાઢ્યો છે અને ગુણોનો અભેદ સમ્મિલિત કર્યો છે, તે જ રીતે કાળના ભેદને બહાર કાઢ્યો છે, પરંતુ કાળનો અભેદ દ્રષ્ટિના વિષયમાં સમ્મિલિત ક્યોં છે.
કાળનો ભેદ, પ્રદેશનો ભેદ, ગુણનો ભેદ અને દ્રવ્યનો ભેદ એ ચારેયનું નામ પર્યાય છે, પરંતુ કાળના અભેદનું નામ પર્યાય નથી. લોકોએ માત્ર પર્યાયના નામ પર કાળના અભેદને તો દ્રષ્ટિના વિષયમાંથી બહાર કાઢી નાખ્યો અને બાકીના ત્રણને સમ્મિલિત કરી લીધા, પરંતુ કાળનો અભેદ તો સમ્મિલિત કરવાનો હતો, તે કાળના અભેદને પણ કાઢી નાખીને સમજવા લાગ્યા કે અમે પર્યાયોથી પણ પાર, પર્યાયોથી ભિન્ન દ્રષ્ટિનો વિષય પ્રાપ્ત કરી લીધો છે; ખરેખર તેઓ ઘણી મોટી ભૂલમાં છે.
પર્યાય'માં કાળનો અભેદ સામેલ નથી અને પ્રદેશનો ભેદ, ગુણનો ભેદ, દ્રવ્યનો ભેદ અને તથા કાળનો ભેદ – એ ચારેય ભેદ પર્યાયમાં સામેલ છે. પર્યાયનો આ જ વાસ્તવિક અર્થ છે.
જ્યારે આપણે પર્યાયને દ્રષ્ટિના વિષયમાંથી હટાવવી છે, તો