________________
દ્રષ્ટિનો વિષય
આમ (૧) એક દ્રવ્ય તો જીવ, પુદ્ગલ આદિ છ દ્રવ્યોવાળા દ્રવ્યને કહે છે. (૨) સામાન્ય-વિશેષાદિ ચાર પક્ષોમાંથી સામાન્યવિશેષના સમ્મિલિતરૂપને પણ દ્રવ્ય કહે છે. (૩) ત્રીજું-સામાન્ય, અભેદ, નિત્ય અને એક-આ ચારેયના સમ્મિલિતરૂપનું નામ પણ દ્રવ્ય છે. આ રીતે આ ત્રણેયનું નામ દ્રવ્ય છે; પરંતુ દ્રષ્ટિનો વિષય ત્રીજા અર્થવાળું દ્રવ્ય જ છે; પહેલા અને બીજા અર્થવાળું નહિ; અને દ્રષ્ટિના વિષય એ દ્રવ્યમાં પર્યાય સામેલ નથી.
• દ્રવ્યાર્થિકનયનો વિષય જ દ્રષ્ટિનો વિષય છે; કારણ કે દ્રવ્યાર્થિકનયનો વિષય અભેદ છે અને અભેદ નિર્વિકલ્પતાનો જનક છે. પર્યાયાર્થિકનયનો વિષય ભેદ છે અને ભેદ વિકલ્પનો જનક હોવાથી દ્રષ્ટિનો વિષય થઈ શકતો નથી.
• પ્રવચનસારની ૧૧૪મી ગાથામાં “gmય ૧૩ જિળ્ય' લખ્યું છે અર્થાત્ જે પર્યાયને ગૌણ કરીને એકલા દ્રવ્યના પક્ષને ગ્રહણ કરે છે, તે દ્રવ્યાર્થિકનય છે અને જે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને ગ્રહણ કરે છે, તે પર્યાયાર્થિકનય છે. અહીં સ્પષ્ટરૂપે “ગૌણ કરીને લખ્યું છે, અભાવ કરીને નહીં. “ગૌણ કરવાનો અર્થ સત્તાની અસ્વીકૃતિ નથી.
• આ સંદર્ભમાં સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન દ્રવ્ય છે :
“પર્યાયદ્રષ્ટિનો વિષય બનવાને કારણે વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્યતાને પર્યાય કહેવાય છે અને દ્રવ્યદ્રષ્ટિનો વિષય બનવાને કારણે સામાન્ય, એક, અભેદ તેમજ નિત્યતાને દ્રવ્ય કહેવાય છે. આ જ દ્રવ્ય દ્રવ્યદ્રષ્ટિનો વિષય બને છે અને એના જ આશ્રયે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ દ્રવ્યમાં સામાન્યના રૂપમાં દ્રવ્ય, એકના રૂપમાં અનંત ગુણોનો અખંડ પિંડ, અભેદના રૂપમાં અસંખ્ય પ્રદેશોનો અખંડ પિંડ અને નિત્યના રૂપમાં અનંતાનંત પર્યાયોનો