________________
દ્રષ્ટિનો વિષય
સામાન્યાંશ અથવા વૃત્તિનો અનુસૂતિથી રચિત પ્રવાહ સામેલ છે. આમ દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અખંડતા-એકતા વિદ્યમાન રહે છે.””
૧૫
પર્યાય અને દ્રવ્યના સંબંધમાં અત્યારે જેટલો પણ ભ્રમ ઉત્પન્ન થયો છે, તે બધો દ્રવ્ય અને પર્યાય, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિંકનયના વાસ્તવિક સ્વરૂપ નહીં સમજવાના કારણે થયો છે.
આપણે દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપમાં વસ્તુવ્યવસ્થાને તો સમજ્યા છીએ પરંતુ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવના રૂપમાં વસ્તુવ્યવસ્થાનું અધ્યયન આપણે બારીકાઈથી કર્યું નથી. ‘દ્રવ્ય’ શબ્દના પણ અનેક અર્થ થાય છે.
સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બે-બે ભાગમાંથી એક એક ભાગનું નામ પર્યાય છે અને બીજા ભાગનું નામ દ્રવ્ય છે. અરે ભાઈ ! કાળને પણ પર્યાય કહેવાય છે, પરંતુ જો વસ્તુમાંથી પર્યાયના નામે કાળને કાઢી નાખશું તો પછી વસ્તુ જ બની શકતી નથી.
લૌકિક વ્યવહારમાં પણ જો કોઈને પધારવાનું નિમંત્રણ આપવું હોય તો ક્યાં, ક્યારે, શા માટે – આ પ્રશ્નોનો ઉત્તર એમાં હોવો જોઈએ, માત્ર ‘પધારજો’ એટલું કહેવું પૂરતું નથી. પરંતુ એમાં આ બધી આવશ્યક વાતો હોવી જોઈએ.
જો લગ્નની આમંત્રણ પત્રિકા આપવી હોય, જો તેમાં વર-કન્યાનો અલંકાર તેમજ ગુણ સહિત નામોલ્લેખ હોય, કૃપાભિલાષી તેમજ દર્શનાભિલાષી–એમના પણ નામ લખ્યાં હોય; પરંતુ જો તેમાં સમય અને સ્થાન ન લખ્યાં હોય, તો કોઈ પણ વ્યક્તિ લગ્નમાં આવી શકશે નહિ. આ રીતે જો લૌકિક વ્યવહારમાં કોઈ કાર્યનું આયોજન દ્રવ્ય
૧. સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૫