________________
સ્વચતુષ્ટય.
• પૂજ્ય ગુરુદેવશ્રી તેમના પ્રવચનોમાં અનેક વાર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા’ કહેતા હતા. તેઓશ્રી ત્રિકાળી” કહીને કાળની અખંડતા દર્શાવતા હતા. તેવી જ રીતે અસંખ્યાતપ્રદેશી કહીને ક્ષેત્રની અખંડતા તેમજ અનંતગુણોનો અખંડપિંડ કહીને ગુણોની અખંડતા દર્શાવતા હતા. પછી આ બધાના સમગ્રરૂપ એવો ભગવાન આત્મા અર્થાત્ હું એક વસ્તુ છું – એમ કહેતા હતા. આ રીતે તેઓશ્રી ચારેય વિશેષણોનો પ્રયોગ કરતા હતા. તેઓશ્રી ત્રિકાળી' શબ્દ તો અવશ્ય બોલતા હતા.