________________
૧૩૨
- દ્રષ્ટિનો વિષય સાચો મુક્તિનો માર્ગ છે. આ જ્ઞાયકભાવમાં પોતાપણું સ્થાપવું એ જ આત્માર્થી મુમુક્ષુ ભાઈઓનું એકમાત્ર કર્તવ્ય છે.
પરમશુદ્ધનિશ્ચનયના વિષયભૂત, વ્યવહારાતીત, પરમશુદ્ધ, નિજનિરંજન નાથ જ્ઞાયકભાવનું સ્વરૂપ સ્પષ્ટ કરવું એ જ સમયસારનું મૂળ પ્રતિપાદ્ય છે. અને આ જ શુદ્ધ શાકભાવનું સ્વરૂપ આ છઠ્ઠી – સાતમી ગાથાઓમાં બતાવ્યું છે. તેથી આ ગાથાઓ સમયસારની આધારભૂત ગાથાઓ છે.
સંદર્ભ : * ૧. સમયસાર (ગુજરાતી), પાનું ૧૭ ૨. પ્રવચન રત્નાકર (ગુજરાતી), ભાગ 1, પાનું ૧૧૩-૧૧૬
સમયસારની આત્મખ્યાતિ ટીકાના પરિશિષ્ટમાં ૨૭૦મા કળશ પછીનો
ગધાંશ ૪. પ્રવચનસાર (ગુજરાતી), ૯૩મી ગાથાની તાત્પર્યવૃત્તિ ટીકા ૫. પ્રવચનસાર (ગુજરાતી), પાનું ૧૮૭, ૧૯૧