________________
૧૩૦ -
- દ્રષ્ટિનો વિષય જેમ દાહક, પાચક અને પ્રકાશક અને ગુણોને કારણે અગ્નિને પણ દાહક, પાચક અને પ્રકાશક કહેવાય છે; પરંતુ મૂળતઃ અગ્નિ ત્રણ પ્રકારની નથી, તે તો એક પ્રકારની જ છે, એક જ છે. તેવી જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોને કારણે આત્માને પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહેવાય; પરંતુ તેથી આત્મા ત્રણ પ્રકારનો તો થઈ જતો નથી; આત્મા તો એક પ્રકારનો જ રહે છે, એક જ રહે છે. - આ ગાથાનો ભાવ આત્મખ્યાતિમાં આચાર્ય અમૃતચંદ્ર આ રીતે સ્પષ્ટ કરે છે :
“આ જ્ઞાયકભાવને બંધાર્યાયના નિમિત્તથી અશુદ્ધતા થાય છે એ વાત તો દૂર જ રહી, તેને દર્શન-જ્ઞાન-ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યોને, ધમને ઓળખાવનાર કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો ( જોકે ધર્મ અને ધર્મનો સ્વભાવથી અભેદ છે, તોપણ નામથી ભેદ ઉપજાવી - વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે; પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એકદ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું - કાંઈક મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એક સ્વભાવી તત્ત્વ-અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી; એક શુદ્ધ જ્ઞાયક જ છે.”
લોકમાં કર્મોદયથી થતા રાગાદિભાવોને આત્માની અશુદ્ધિ માનવામાં આવે છે; વ્યવહારનયની પ્રરૂપણાથી જિનવાણીમાં પણ આ પ્રકારનું પ્રરૂપણ મળી આવે છે, પણ અહીં તો દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદને પણ અશુદ્ધિ કહેવાઈ રહી છે, તો પછી રાગાધિરૂપ અશુદ્ધિની શું વાત