________________
- દ્રષ્ટિનો વિષય
• આ જે તાજમહાલ છે ને ? તે જમીન પર તો પછીથી બન્યો હશે, પહેલાં તો કાગળ પર બન્યો હશે; અને તે પહેલાં પણ તે તેના બનાવનારના મગજમાં બન્યો હશે. આવો સુંદર તાજમહાલ તો તેને ત્યારેય દેખાતો હશે જ્યારે તેણે કામ શરૂ કરાવ્યું હશે. ભગવાન આત્માની પ્રાપ્તિના ઈચ્છુક જીવે પણ પોતાનું સાચું સ્વરૂપ પોતાની દ્રષ્ટિમાં આ રીતે પહેલેથી જ રાખવાનું છે. ધ્યાન રહે, તાજમહાલનું ઉદાહરણ એટલું બંધબેસતું નથી જેટલું પ્રતિમાનું છે. તાજમહાલ તો પત્થરોને જોડી જોડીને (ભેગા કરીને બનાવવામાં આવ્યો હતો જ્યારે પ્રતિમા તો પત્થરને તોડી તોડીને (કોતરીને) બનાવવામાં આવે છે, જે વધુ બંધ બેસતું છે. કારણ કે દષ્ટિના વિષય ભગવાન આત્માને પ્રમાણના વિષય આત્મામાંથી તોડી તોડીને (કોતરીને, કાપકૂપ કરીને) કાઢવામાં આવે છે.
• પ્રમાણના વિષયભૂત આત્મદ્રવ્યમાંથી દ્રષ્ટિના વિષયભૂત આત્માને કોતરીને કાઢવાના પહેલા પગલાં તરીકે ઉપચરિત અસદ્ભત વ્યવહારનયથી આત્માના કહેવાય એવા) સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ તથા (અનુપચરિત અસભૂત વ્યવહારનયથી જે આત્માના કહેવાય એવા) શરીર આદિની કાપકૂપની વાત તો આપણે આ પહેલાં કહી ચૂક્યા છીએ. હવે (ઉપચરિત સભૂતવ્યવહારનયના વિષય) રાગદ્વેષાદિ વિકારી ભાવો વિષે વાત કરીએ છીએ કે આ રાગદ્વેષાદિ ભાવો આપણા આત્માનાં જ ભાવ છે, પરંતુ તે પરના લક્ષે પેદા થયા છે, તેથી આપણે તેમને પરના ખાતામાં નાખીએ છીએ. તેઓ “સ્વ” ની સીમામાં નથી, તેથી તેઓમાં પોતાપણું સ્થાપિત કરવાલાયક નથી, તેઓ મારી ચીજ છે એમ માનવાલાયક નથી. જેમ પુત્રનો રાગ’ પુત્રમાં થતો નથી, પરંતુ પુત્રના લક્ષે આપણામાં થાય છે, તેથી આપણે તેને પુત્રના ખાતામાં નાખીએ છીએ, તેવી જ રીતે ભગવાનનો રાગ' ભગવાનમાં થતો નથી – ભગવાન તો વીતરાગી છે - પણ તે રાગ ભગવાનના લક્ષે આપણામાં થાય છે,