________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૨
- ૧૦૭
જેમેં ફિટકડી લૌદ હરડેકી પુટ બિના,
સ્વેત વસ્ત્ર ડારિયે મજીઠ રંગ નીરમેં ભીગ્યો રહે ચિરકાલ સર્વથા ન હોઈ લાલ,
ભેદે નહિ અંતર સફેદી રહૈ ચીરમૈ ” આ છંદમાં ‘સર્વથા' શબ્દનો પ્રયોગ એક પ્રકારથી કથંચિત્ના અર્થમાં જ થયો છે. “સર્વથા ન હોઈ લાલ” નો અર્થ એવો નથી કે વસ્ત્ર બિલકુલ લાલ નહીં થાય, પરંતુ એમ જ છે કે સંપૂર્ણતઃ લાલ નહીં થાય, પરંતુ થોડું-થોડું લાલ થશે; પણ આ જાતના પ્રયોગ નિષેધપરક કથનોમાં જ થાય છે, આમ બીજા પણ અનેક પ્રકારના પ્રયોગ જિનવાણીમાં ઠેરઠેર જોવા મળે છે.
પ્રવચનસારના આ પ્રકરણમાં સર્વથા બંધ કરવાનો અર્થ સર્વથા ગૌણ કરવાના અર્થમાં જ છે, આને આપણે આ પ્રકારે સમજી શકીએ છીએ :
“ટ્રવ્યાર્થિકનયથી વસ્તુ સર્વથા નિત્ય છે અર્થાત્ નિત્ય જે છે, પર્યાયાર્થિકનયથી વસ્તુ સર્વથા અનિત્ય છે અર્થાત્ અનિત્ય જ છે અને પ્રમાણથી વસ્તુ નિત્યાનિત્યાત્મક છે અર્થાત્ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.”
ઉક્ત કથનમાં આપ સ્પષ્ટ જોશો કે “સર્વથા’ શબ્દનો પ્રયોગ એક પ્રકારથી જ' ના અર્થમાં જ થાય છે. નયોના સંદર્ભમાં જ્યારે નિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે તો અનિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. આ પ્રમાણે જ્યારે નિત્યતા મુખ્ય છે. વિવક્ષિત છે તો અનિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. આ પ્રમાણે જ્યારે અનિત્યતા મુખ્ય છે, વિવક્ષિત છે તો નિત્યતા પૂરી રીતે ગૌણ છે, અવિવક્ષિત છે. વળી જ્યારે પ્રમાણની વાત આવે છે તો મુખ્યતા-ગૌણતાનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જાય છે અથવા એમ