SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ - • દ્રષ્ટિનો વિષય સિદ્ધત્વપર્યાયરૂપ અનેક વિશેષોને જેનારા અને સામાન્યને ન જોનારા જીવોને તે છવદ્રવ્ય અન્ય-અન્ય (નારકાદિ પર્યાયસ્વરૂપ) છે' - એમ ભાસિત થાય છે, કેમ કે દ્રવ્ય તે-તે વિશેષોના સમયે તન્મય હોવાથી તે-તે વિશેષોથી અનન્ય છે; છાણાં, ઘાસ, પાંદડાઓ અને કાષ્ઠમય અગ્નિની માફક. જેવી રીતે ઘાસ, લાકડાં આદિનો અગ્નિ તે-તે સમયે જ ઘાસમય, લાકડાંમય હોવાથી ઘાસ, લાકડાં આદિથી અનન્ય છે; તેવી રીતે દ્રવ્ય તે-તે પર્યાયરૂપ વિશેષોના સમયે તેનાથી તન્મય હોવાથી અનન્ય છે. - જ્યારે તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને આંખોને એક જ સાથે ઉધાડી બન્નેથી એક સાથે જોવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વે, દેવત્વ અને સિદ્ધપર્યાયોમાં રહેનારા જીવસામાન્ય તથા જીવસામાન્યમાં રહેનારા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધપર્યાયરૂપ વિશેષો એક જ સાથે જોવામાં આવે છે.” - આચાર્ય અમૃતચન્દ્રના ઉક્ત કથનમાં સર્વાધિક ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે આમાં “સર્વથા” શબ્દનો પ્રયોગ થયો છે. જૈનદર્શનમાં ‘સર્વથા' શબ્દ છે જ નહિ – આ વાતનો હઠાગ્રહ રાખનારને આ કથન પર અવશ્ય ધ્યાન દેવું જોઈએ. મૂળ સંસ્કૃત ટીકામાં એકાન્ત શબ્દનો પ્રયોગ છે, જેનો અનુવાદ હિન્દી ટીકાકારે “સર્વથા એમ કર્યો છે. નય એકાંતસ્વરૂપ જ હોય છે - આ વાતને “નયોની પ્રમાણિકતા' શીર્ષક હેઠળ સપ્રમાણ સ્પષ્ટ કરી જ દીધી છે. ત્યાં કહ્યું છે કે “સમ્યગેકા નય કહેવાય છે ને સમ્યગનેકાન્ત પ્રમાણ. મયવિવક્ષા વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરવાવાળી હોવાથી 'એકાન્ત છે અને પ્રમાણવિરક્ષા વસ્તુના અનેક ધર્મોનો નિશ્ચય કરવાવાળી હોવાથી અનેકાન્ત છે.”
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy