SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - પ્રકરણ - ૨ - - ૧૦૩ ઉક્ત આશંકા ઠીક નથી, કેમ કે જે અંશી કે ધર્મમાં તેના બધા અંશ કે ધર્મ ગૌણ થઈ જાય છે, તેના અંશીમાં મુખ્યરૂપથી દ્રવ્યાર્થિકનયની પ્રવૃત્તિ હોય છે, અર્થાત્ આવો અંશી દ્રવ્યાર્થિનયનો વિષય છે; અતઃ તેનું જ્ઞાન નય છે. વળી ધર્મ અને ધર્મના સમૂહરૂપ વસ્તુના ધર્મો અને ધર્મી બન્નેને પ્રધાનરૂપથી જાણનારા જ્ઞાનને પ્રમાણ કહે છે, અતઃ નય પ્રમાણથી ભિન્ન છે." આમ આપણે જોયું કે દ્રવ્યાર્થિકનયના વિષયરૂપ અંશીમાં તેના બધા અંશ ગૌણ છે અને પ્રમાણના વિષયરૂપ અંશીની સાથે તે બધા અંશ પણ મુખ્યરૂપથી જ વિષય બને છે. આ વાત સર્વત્ર વિશેષ ધ્યાનમાં રાખવી યોગ્ય છે, અન્યથા સર્વત્ર શંકાઓ આશંકાઓ ઊભી થતી રહેશે. આ સંદર્ભમાં પ્રવચનસાર' ગ્રંથની ૧૧૪મી ગાથાની આચાર્ય અમૃતચંદ્રકૃત તત્વપ્રદીપિકા' નામની સંસ્કૃત ટીકા પણ દ્રષ્ટવ્ય છે, જેનો અનુવાદ આ પ્રમાણે છે : “વસ્તુતઃ બધી વસ્તુઓ સામાન્ય-વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારના ક્રમશ: સામાન્ય અને વિશેષને જાણવાવાળી બે આંખો છે :- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. આમાંથી પર્યાયાર્થિક ચક્ષને સર્વથા બંધ કરીને જ્યારે માત્ર ખુલ્લાં રાખેલાં દ્રવ્યાર્થિક ચક્ષ વડે જોવામાં આવે છે, ત્યારે નારત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયરૂપ વિશેષોમાં રહેનારા એક જીવસામાન્યને દેખનારા અને વિશેષોને ન દેખનારા જીવોને તે બધા છવદ્રવ્ય છે' - એમ જણાય છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને માત્ર ખુલ્લાં રાખેલાં પર્યાયાર્થિક ચક્ષુ વડે જોવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેનારા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy