________________
પરિશિષ્ટ - પ્રકરણ
તેથી જ્યાં ‘દ્રવ્ય’ શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશના સંદર્ભમાં છે કે પ્રમાણની વિષયભૂત વસ્તુના સંદર્ભમાં છે તે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ વાતની સ્પષ્ટતા કરવા માટે ક્યારેક ક્યારેક સંપૂર્ણ વસ્તુને પ્રમાણનું દ્રવ્ય અને દ્રવ્યાંશને દ્રવ્યાર્થિકનયનું દ્રવ્ય પણ કહે છે.
૨
CC
‘દ્રવ્યાંશ’ શબ્દનો અર્થ ‘દ્રવ્યનો અંશ’ થતો નથી, પરંતુ વસ્તુનો તે અંશ જેને દ્રવ્ય કહે છે તે થાય છે.
આગમ અને પરમાગમમાં પ્રાપ્ત દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયોના વિવિધ પ્રયોગોને ખરા અર્થમાં સમજવા માટે ઉપર જણાવેલી જાણકારી ખૂબ જરૂરી છે.
હવે આપણે આ આશા સાથે કે ‘દ્રવ્ય’ અને ‘પર્યાય’ શબ્દનો જે અર્થ ઉપર જણાવવામાં આવ્યો છે, તમે તેને જ ગ્રહણ કરશો, આગમ અને પરમાગમમાં સમાવેશ થયેલા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની વ્યાખ્યાઓ રજૂ કરીએ છીએ.
‘નયચક્ર’ માં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની વ્યાખ્યા આમ આપી છે :
“પજય ગણું કિચ્ચા દવ્યં પિય જો હુ ગિણઈલોએ । સો વ્યથિય ભણિઓ વિવરીઓ પજયત્થિણઓ ॥
પર્યાયને ગૌણ કરીને જે દ્રવ્યને ગ્રહણ કરે છે, તે દ્રવ્યાર્થિકનય’ છે અને તેનાથી વિપરીત પર્યાયાર્થિકનય છે એટલે કે દ્રવ્યને ગૌણ કરીને જે પર્યાયને ગ્રહણ કરે છે તે પર્યાયાર્થિકનય છે.’’
સમયસારની ‘આત્મખ્યાતિ' નામની ટીકામાં આ બન્ને નયોની ચર્ચા આમ છે :