________________
૯૮ -
– દ્રષ્ટિનો વિષય વિશેષતાઓને પણ સમજી લેવી જોઈએ તથા જેમ અહીં પર્યાયાર્થિકનયનું ઉદાહરણ આપી વાત સ્પષ્ટ કરવામાં આવી છે, તેમ દ્રવ્યાર્થિકનય પર પણ ઘટિત કરી લેવું જોઈએ.
જોકે દ્રવ્યાર્થિકનયના વિષયની સામાન્ય' “અભેદ નિત્ય' અને એક સંજ્ઞાઓ પણ છે; તોપણ દ્રવ્ય આ સંજ્ઞા વધુ મહત્ત્વની છે. આ રીતે પર્યાયાર્થિકનયના વિષયની પણ જેકે વિશેષ “ભેદી ‘અનિત્ય અને “અનેક' સંજ્ઞાઓ પણ છે; તોપણ પર્યાય' આ સંજ્ઞા અધિક મહત્ત્વની છે, કેમ કે આ દ્રવ્ય અને પર્યાય' સંજ્ઞાઓના કારણે જ આ નયોના નામ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક પડે છે.
અતઃ આ સારી રીતે સમજી લેવું જોઈએ કે આ પ્રકરણમાં મુખ્યરૂપથી દ્રવ્યાર્થિકનયના વિષયની દ્રવ્ય અને પર્યાયાર્થિકનયના વિષયની ‘પર્યાય' સંજ્ઞા જિનવાણીને માન્ય છે. અહીં દ્રવ્ય’ અને ‘પર્યાય શબ્દોના અર્થ “ગુણપર્યયવદ્ભવ્ય અને તર્ભાવઃ પરિણામ ન હોઈ દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય અને પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય અપેક્ષિત છે. દ્રવ્ય એટલે દ્રવ્યાર્થિકનયનો વિષય; તે ભલે જે કાંઈ પણ હોય; સામાન્ય હોય, અભેદ હોય, નિત્ય હોય, એક હોય, કાંઈ પણ હોય, તે જ ઈષ્ટ છે. આમ પર્યાય એટલે પર્યાયાર્થિકનયનો વિષય; તે ભલે જે કાંઈ પણ હોય; વિશેષ હોય, ભેદ હોય, અનિત્ય હોય, અનેક હોય; કાંઈ પણ હોય; તે જ પર્યાય શબ્દથી અભિપ્રેત છે.
અહીં એક વાત વિશેષ ધ્યાનમાં રાખવાની એ પણ છે કે ભલે અહીં દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશને દ્રવ્ય કહેવામાં આવે છે અને આગમમાં પણ આ પ્રકરણમાં ઘણું કરીને આ જ અર્થમાં આનો પ્રયોગ જોવા મળે છે, છતાં પણ આગમમાં જ ક્યાંક ક્યાંક સામાન્ય - વિશેષાત્મક અર્થાત્ દ્રવ્ય-પર્યાયાત્મક પ્રમાણની વિષયભૂત સંપૂર્ણ વસ્તુને પણ દ્રવ્ય કહેવામાં આવે છે.