SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ - ' -- દ્રષ્ટિનો વિષય તત્ર દ્રવ્યપર્યાયાત્મકે વસ્તુનિ દ્રવ્ય મુખ્યતયાનુભાવયતીતિ દ્રવ્યાર્થિક, પર્યાય મુખ્યતયાનુભાવયતીતિ પર્યાયાર્થિકઃ | દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં જે મુખ્યરૂપથી દ્રવ્યનો અનુભવ કરાવે, તે દ્રવ્યાર્થિકનય છે અને જે મુખ્યરૂપથી પર્યાયનો અનુભવ કરાવે, તે પર્યાયાર્થિકનય છે.” ઉક્ત વ્યાખ્યાઓ પર ગહન વિચાર કરતાં એક વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે કે આ બન્ને નયોના વિષય એક વસ્તુની મર્યાદાની અંદર છે જોકે એક-એક કરીને પ્રત્યેક વસ્તુ તેના વિષયમાં સમાઈ જાય છે તથા વિભિન્ન વસ્તુઓનો સત્સામાન્ય કે ચિત્સામાન્યની અપેક્ષાએ પણ સંગ્રહ હોય છે, જેની ચર્ચા આગળ ઉપર યથાસ્થાન વિસ્તારથી કરીશું તો પણ આ નયોનું મૂળકાર્ય બધી વસ્તુઓને મેળવી જેવાને બદલે મુખ્યરૂપથી દરેક વસ્તુને તેના વિભિન્ન પક્ષોથી જોવાનું છે, સ્પષ્ટ કરવાનું છે. જોકે વસ્તુના મૂળપક્ષ બે છે :- દ્રવ્ય અને પર્યાય, અતઃ તેને ગ્રહણ કરનાર મૂળનય પણ બે છે :- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. આ વાતને સ્પષ્ટ કરવાને માટે ‘આત્મખ્યાતિ માં “વ્યપર્યાયાત્મકે વસ્તુનિ પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. “વસ્તુનિ પદમાં સપ્તમી વિભક્તિના એકવચનનો પ્રયોગ આ વાત સ્પષ્ટ કરે છે કે આ નિયોનો પ્રયોગ એક વસ્તુમાં હોય છે અને ‘દ્રવ્યપર્યાયાત્મકે પદ દ્વારા તે એક વસ્તુની અંદર હોવાવાળા બે પક્ષોનો ઉલ્લેખ કરી તેને સ્પષ્ટ કર્યો છે. | મુખ્યતયા અનુભાવયતિ અર્થાત્ મુખ્યપણાથી દ્રવ્યનો અનુભવ કરાવે - એમ કહી “આત્મખ્યાતિ' માં અસાધારણરૂપથી પર્યાયને ગૌણ કરી છે, જ્યારે નયચક્રમાં ગઉણ કિચ્ચા અર્થાત્ ગૌણ કરીને એમ કહી અપરપક્ષની ગૌણતાને કહી છે. આમ ધ્યાન રાખવું કે નય અપરપક્ષને ગૌણ કરે છે, અભાવ નહીં. *
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy