________________
૯૬.
• દ્રષ્ટિનો વિષય
વલ્થ પમાણવિસય ણયવિસય હવઈ વળ્યુએકંસ જે દોહિ ગિયર્ડ તે નિર્બવે હવઈ વિસય છે
વસ્તુ પ્રમાણનો વિષય છે અને વસ્તુનો એક અંશ નયનો વિષય છે. તથા જે અર્થ પ્રમાણ અને નયથી નક્કી થાય છે, તે નિક્ષેપનો વિષય છે.”
તે પ્રમાણની વિષયભૂત પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મકની જેમ નિત્યાનિત્યાત્મક, એકાનેકાત્મક અને ભેદાભદાત્મક પણ છે. તેમાં દ્રવ્યાર્થિકનયનો વિષય બનનાર વસ્તુનો સામાન્યાંશ નિત્ય, એક અને અભેદસ્વરૂપ તથા પર્યાયાર્થિકનયનો વિષય બનનાર વિશેષાંશ અનિત્ય, અનેક અને ભેદસ્વરૂપ છે.
આમ આપણે જોયું કે દ્રવ્યાર્થિકનયનો વિષય સામાન્ય, એક, નિત્ય અને અભેદસ્વરૂપ વસ્તુનો અંશ છે તથા પર્યાયાર્થિકનયનો વિષય વિશેષ, અનેક, અનિત્ય અને ભેદસ્વરૂપ વસ્તુનો અંશ છે. જેમાં ઉપર કહેલું બધું સમાયેલું છે, તે વસ્તુ પ્રમાણનો વિષય છે અર્થાત્ સામાન્ય વિશેષાત્મક, એકાનેકાત્મક, નિત્યાનિત્યાત્મક અને ભેદાભદાત્મક વસ્તુ પ્રમાણનો વિષય છે.
જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા વિચાર કરીએ તો પ્રમાણની વિષયભૂત વસ્તુદ્રવ્યની અપેક્ષા સામાન્ય-વિશેષાત્મક, ક્ષેત્રની અપેક્ષા ભેદાભદાત્મક, કાળની અપેક્ષા નિત્યાનિત્યાત્મક અને ભાવની અપેક્ષા એકાનેકાત્મક છે.
પ્રમાણની વિષયભૂત ઉક્ત વસ્તુના દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશમાં અને પર્યાયાર્થિકનયના વિષયભૂત પર્યાયાંશમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
અને ભાવની અપેક્ષા વિચાર કરીએ તો દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યાંશમાં સામાન્યત્વ, અભેદત્વ, નિત્યત્વ અને એત્વનો સમાવેશ થાય