________________
૧૧૭
(૭૮૦)
७४
મુંબઈ, જેઠ સુદ ૮, ભેમ, ૧૯૫૩ જેને કઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી,
તે મહાત્માને વારંવાર નમસ્કાર.
પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે.
તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના વેગથી અપરાધ થયે હેય, જાણતાં અથવા અજાણતાં, તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કેઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.
શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય.