SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ એમ જાણું મૃત્યુ સમીપ આવ્યે તથારૂપ પરિણતિ કરવાને વિચાર વિચારવાન પુરુષ છેડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પિતે બાહ્ય ક્રિયાને વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઈ, અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધને વારંવારને વિક્ષેપ છેડી દઈ, યથાર્થ આત્મભાવને વિચાર કરવાનું લક્ષગત કરે છે તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત્ બને કે ન બને, તે પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેને જન્મ સફળ છે, અને કેમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. તમને બાહ્ય ક્રિયાદિને કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતું કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપને વિચાર કરી શકે છે, કે તમને તેને આટલે બધો પરિચય ખેદને હેતુ લાગતું નથી? સહજમાત્ર જેમાં ઉપગ દીધું હોય તે ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ” કાળને ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે તેને અર્થે? અને તેનું શું પરિણામ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણું કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા ગ્ય અવસર છે. લે કે માત્ર વિચારવાનું કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણું વિધિનિષેધના કર્તુત્વના
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy