SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ જવાનું રાખશે, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તે મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. . શ્રી સદગરએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે. /દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (૬૯૩) ६७ મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૫ર જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. –શ્રી તીર્થકર–છજીવનિકાય અધ્યયન - જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકપ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. કિયામાગે અસદુઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ ગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેને સંભવ રહ્યો છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy