SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. સમાધિ-પાન કોઈ અવિરત સમ્યફદ્રષ્ટિ ધર્માત્માનાં કે વ્રતવાળા પુરુષનાં પરિણામ રેગની વેદનાથી, ગરીબાઈથી કે કેઈના વિયેગને લઈને ધર્મથી ચળી જાય તો ધર્મમાં પ્રીતિવંત પ્રવીણપુરુષ તેને ધર્મથી પતિત થતો જાણી ઉપદેશ આપી ધર્મમાં સ્થાપન કરે તે સ્થિતિકરણ અંગ છે. ધર્માત્મા ઉપદેશે કે, “હે ધર્મના ઈચ્છક ! ધર્માનુરાગી ! મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, ઇન્દ્રિયની પૂર્ણતા, ધર્મને લાભ આ એક એકથી ઉત્તરોત્તર દુર્લભ સામગ્રી પ્રાપ્ત થઈ છે તે છૂટી ગયા પછી ફરી પાછી મળવી અનંતકાળમાં પણ દુર્લભ છે. તેથી કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાં રેગ, વિયેગ, દરિદ્રતા આદિ દુઃખથી કાયર થઈ આર્તધ્યાનનાં પરિણામ કરવાં મેગ્ય નથી. દુઃખથી ખેદ કરશે તો વધારે કર્મ બાંધશે. કાયર થઈને ભેગવશે કે ધીરવીરપણે ભેગવશે તોય ભેગવવાં તો પડશે. માટે દુર્ગતિનું કારણ અને ધિક્કારવા ગ્ય જે કાયરતા તેને ત્યાગ કરે. ધૈર્ય ધારણ કરે. મનુષ્યભવનું સાફલ્ય તો ધીરતા ને સંતોષવ્રત સહિત ધર્મનું સેવન કરી આત્માને ઉદ્ધાર કરવો એ છે. મનુષ્યદેહ તો રેગનું ઘર છે, તેમાં રેગ ઊપજે એમાં શું આશ્ચર્ય છે? એ વખતે તો માત્ર ધર્મ જ શરણ છે. રોગ તો ઊપજશે જ, કેમકે સંગ છે તે વિયાગ સહિત જ છે. કયા કયા પુરુષો ઉપર દુઃખ નથી આવ્યાં? તેથી હિંમત રાખીને એક ધર્મનું જ અવલંબન કરે. જે જે વસ્તુ ઊપજે છે તે તે બધી વિનાશ સહિત છે. દેહને નિશ્ચયે વિયેગ છે જ. તો બીજાં પ્રાણીઓ જે પિતાના કર્મને આધીન ઊપજે છે અને મરે છે તેમને હર્ષ શેક કરવો નકામે છે, બંધનું કારણ છે. આ દુષમ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy