________________
૯૯
૮૬. સર્વે ભાવથી અસંગપણું થવું તે સર્વેથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેના આધાર કહ્યો છે, કે જે સત્સંગના ચેાગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.
૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયા નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યા નથી; પરમ સ્નેહે ઉપાસ્યા નથી; અને પ્રાપ્ત પણુ અપ્રાસ ફળવાન થવા યાગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યાં છે, એમ કહ્યું છે.
આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણુ જાણી, નિર્વાણુના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવેા ચાગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવા અમારે આત્મસાક્ષાત્કાર છે.
૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તેા અવશ્ય આ જીવને જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા ચેગમાં પણ તેણે તે સત્સંગના યાગને ખાધ કરનાર એવાં માઠાં કારણેાના ત્યાગ ન કર્યાં!
૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હાય તો જ સત્સંગ ફળવાન થાય