SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કાળમાં જે ઉપાય ન કર્યો તે અમ જેવા અવિચારી પણ ડા સમજવા. ' જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. આ૦ સ્વ. યથા. (૬૦૯) મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. ૨. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના ગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્ય છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જે સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. /પ. સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણમાં જે સમાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચને કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકની અને મેમેષથી માંડી શેલેશીઅવસ્થા પર્વતની સર્વ કિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy