SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હેાય, તેપણ ધીરજ રાખવી; સત્સંગ, સત્પુરુષને યાગ વિશેષ વિશેષ કરી આરાધવા; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કઈ તેને આધાર નથી. તે તા જે જીવને સત્સંગ, સત્પુરુષને ચેાગ થયા છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રત્યેાજન છે, તેને ક્રમે કરી ટળવા જ યાગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષદ્ધ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષદ્ધનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્પુરુષના ચેાગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવા નિશ્ચય રાખી, યથાય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે; પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સત્પુરુષના યાગે પ્રમાદ હેતુએ વિલંખ કરવા તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યેાગ્ય છે. જીવ શ્રી તીર્થંકરાદિએ ફ્રી ફ્રી જીવાને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફ્રી ફ્રી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ સમજે તે સહજ મેાક્ષ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy