SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ અનિત્યાદ્રિ ભાવ દૃઢ કરે છે. અર્થાત્ સત્પુરુષ મળ્યે આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતા તેમ રક્ત ત્યાર પછી નથી રહેતા, અને અનુક્રમે તે રક્તભાવ માળેા પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પુરુષના ચગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ સત્પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉડ્ડય આવવા યાગ્ય નથી; અને સત્પુરુષના જીવને ચાગ થયા છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે. જીવને સત્પુરુષના યાગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તે મારાં સર્વ સાધન સફળ થવાના હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યાં. તે પ્રકારે હવે સત્પુરુષને ચેાગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને, જીવે આ યાગને, વચનને વિષે જાગૃત થવા યેાગ્ય છે, જાગૃત રહેવા ચેાગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દૃઢ કરવા કે જેથી તેને પ્રાપ્ત જોગ ‘અફળ' ન જાય, અને સર્વ પ્રકારે એ જ ખળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ ચેાગથી જીવને અપૂર્વ ફળ થવા ચેાગ્ય છે, તેમાં અંતરાય કરનાર ‘હું જાણું છું એ મારું અભિમાન, કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવા લેાકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિક ભાવ, અને કદાપિ કોઈ પંચ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy