________________
૭૫
એવાં મેહનીયકર્મ કે જેની કાળસ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણાં બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચેાથું, પાંચમું, છછું એમ સૌ એક મેહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં; કારણ કે જીવન એટલે અવકાશ નથી. મેહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષકર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંને બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત્ જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યા આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંત દુઃખ અને ભવને હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલે અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણે સૂક્ષ્મપણ કહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મેક્ષને અવકાશ કહી કર્મબંધ કહ્યો છે.
આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને કેમે કરી કે સમાગમ કરી તેનું સાવ સમાધાન થશે.
સત્સંગ છે તે કામ બાળવાન બળવાન ઉપાય છે. સર્વે જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું