________________
(૪૬૦)
મુંબઈ, બીજા અષાડ વદ ૧૦, સોમ, ૧૯૪૯ ભાઈ કુંવરજી,
શ્રી કલેલ. શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલા એવાં કર્મોનું ફળ જાણું સમ્યફપ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યફપ્રકાર રૂડા ને પણ સ્થિર રહે કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ
અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગેની જીવમાં - સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યફપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાને ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મોનું કારણ થતી નથી.
વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તે તે મેટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જે કે દેહનું તેવું મમત્વ ત્યાગવું