________________
૫૫ અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જેને વિષે વર્યા કરે છે; એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયેલ છે. અનંતકેટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત ચેડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે, એ જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીને ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે બ્રાંતિ તે અનાદિ સંયેગે છે. એમ ઘટે છે, એમ જ છે, તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સપુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તેવા તેવા જેગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસત્દેશનને વિષે સદર્શનરૂપ ભ્રાંતિ તે છે. “આત્મા નામને કોઈ પદાર્થ નથી, એ એક અભિપ્રાય ધરાવે છે, “આત્મા નામને પદાર્થ સંગિક છે, એવો અભિપ્રાય કેઈ બીજા દર્શનને સમુદાય સ્વીકારે છે; “આત્મા દેહસ્થિતિરૂ૫ છે, દેહની સ્થિતિ પછી નથી, એ અભિપ્રાય કેઈ બીજા દર્શનને છે. આત્મા અણુ છે, “આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે”, “આત્મા સાકાર છે”, “આત્મા પ્રકાશરૂપ છે, “આત્મા સ્વતંત્ર નથી”, “આત્મા કર્તા નથી”, “આત્મા