________________
૫૩ હોય તે આત્મારામ એવા જ્ઞાની પુરુષને નિષ્કામ બુદ્ધિથી ભક્તિગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તે જગ પ્રાપ્ત થ એ કોઈ મેટા પુણ્યનો જોગ છે, અને તે પુણ્ય જોગ ઘણું પ્રકારના અંતરાયવાળે પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાચે, વિચારે. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.
આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જ નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તે જાણવાના તથારૂપ ગે પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતે એમ નથી, એમ છતાં જે રૂપે પડે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા ચોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા ગ્ય છે.
(૪૩૬)
મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯
સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદક્તા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. - જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથા