________________
૫૧
(૪૧૬)
૩૬
મુંબઈ, આસા, ૧૯૪૮
ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ એધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવાને થાય છે, અને તેના મુખ્ય માર્ગ તે આધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષના આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાનીપુરુષના તેવા તેવા સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઇ ગયા છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેના આશ્રય ગ્રહણ કરવા એ જ કન્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દૃઢ કરીને લાગે છે.
જ્ઞાનીપુરુષનું આળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ.
(૧) એક તે ‘હું જાણું છું,' ‘હું સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન.
(૨) બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ.
(૩) ત્રીજું, લેાકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઇએ તેવું ન થવું.
એ ત્રણ કારણેા જીવને જ્ઞાનીથી અજાણ્યા રાખે છે;