________________
४८
મનને લઈને આ બધું છે એ જે અત્યાર સુધીને થયેલે નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે. તથાપિ “મન”, તેને લઈને', અને “આ બધું અને તેને નિર્ણય, એવા જે ચાર ભાગ એ વાક્યને થાય છે, તે ઘણું કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તે પણ તે આત્મ
સ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખે છે, તે સર્વથી મુખ્ય એ લખે છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણું પ્રકારે વિચારવાને ગ્ય છે.
મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે, જેના કલ્યાણને અર્થે તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જે પરમ ફળનું કારણ ધારતા હે તે, નિશ્ચયપણે ધારતા હો તે, પાછળથી બુદ્ધિ કસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તે, જાય તે તે ભ્રાંતિવડે ગઈ છે એમ ધારતા હો તે, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તે, લખવાને ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશે.
સર્વ પ્રકારે ઉપાધિગ તે નિવૃત્ત કરવા ગ્ય છે;