________________
૪૬
(૩૪૭)
૩ર મુંબઈ, ફાગણ વદ ૦)), સોમ, ૧૯૪૮
આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે,
વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિને જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે.
જાણીએ છીએ કે ઘણું કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે.
- તમારાં ઘણાં પત્ર–પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોને ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી એગ્ય છે.
તે પત્રોમાં કઈ કઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા ગ્ય છે.
હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તે પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ, તથાપિ તે મન વ્યવહારમાં ચુંટતું નથી, પિતાને વિષે જે રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે.
આખો લેક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતે માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે, તે તે