SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિને પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચને ઘણુ વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી છમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરે એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પિદા કરનાર એવા સગાસંબંધીમાં એ પ્રેમ કર્યો છે કે તે તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તે જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છે એમ હોવાથી દાસત્વભાવ રાખે એ પરમ ધર્મ (ખલિત થઈ ગયા છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરે એ મેટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ, તેને પણ તે કળિયુગને પ્રસંગ સંગ આપ્યા કરે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યેગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તે પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા છે કઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એ હું શરણાગત ઉપર અનુગ્રહ થે યોગ્ય હોય તે કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy