________________
૧૧
૧૭ (૧૪૩)
વવાણિયા, બીજા ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહે – ૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય
આવવાના કષાયાને શમાવે. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત
થાઓ, એ કરતાં હવે અટકે. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માને, અને
બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે. ૫. કેઈ એક પુરુષ છે, અને તેનાં ગમે તેવાં
વચનમાં પણ શ્રદ્ધા રાખે.
એ પાંચે અભ્યાસ અવશ્ય ગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માને.
અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારે આવવાને નથી.
બાકીનાં ચાર એ પાંચમું મેળવવામાં સહાયક છે.
પાંચમાં અભ્યાસ સિવાયને, તેની પ્રાપ્તિ સિવાયને બીજે કઈ નિર્વાણમાર્ગ મને સૂઝતું નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે—(સૂઝયું છે).
હવે જેમ તમને એગ્ય લાગે તેમ કરે. એ બધાની તમારી ઈચ્છા છે, તે પણ અધિક ઈચ્છો; ઉતાવળ ન કરે.