SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્કાંક્ષિત અંગ ૧૯ હતી તે થોડા વખત માટે શમાઈ જાય છે. પણ તે ભાગ ફરીથી અધિક અધિક બળતરા ઉપજાવે છે. તેથી ઇંદ્રિયાના વિષયાને ભાગવવાથી ઊપજતું સુખ છે તે તેા દુઃખ જ છે. બાહ્ય શરીર-ઇંદ્રિયાક્રિકને આત્મા જાણનાર અહિરાત્મા છે; તે વિષયેાની બળતરા શમાવવાના ઉપાયને સુખ માને છે. એવી માન્યતા એ માડુકર્મથી ઉત્પન્ન થયેલેા ભ્રમ છે. વેદના જ ન ઊપજે એવું નિરાકુળતા લક્ષણવાળું જ સુખ જ તા હાય. વિષયાને આધીન સુખ માનવું તે મિથ્યા શ્રદ્ધા છે. સમ્યક્દૃષ્ટિને તે અહમિદ્રલોકનાં સુખ પણ પરાધીન, આકુળતારૂપ, વિનાશી, કેવળ દુઃખરૂપ જ દેખાય છે, તેથી સમ્યક્દ્ગષ્ટિને માયિક, ઇંદ્રિયજનિત સુખની વાંછા કઢી હાતી નથી. આ ભવમાં તેા ધન, સંપત્તિ, વૈભવ આદિક ઇચ્છતા નથી; અને પરભવમાં પણ ઇંદ્રપણું, ચક્રવતીપણું ઇત્યાદિ કુટ્ઠી ઇચ્છતા નથી. આ ઇંદ્રિયાના વિષયા તે અલ્પ કાળ ભાગવાય છે, પણ તે ભાગનું ફળ ભવિષ્યમાં અસંખ્યાત કાળ સુધી નરકનાં દુઃખ ભોગવવારૂપ છે. અનંત કાળ કે અસંખ્યાત કાળ સુધી તિર્યંચ આદિ ગતિમાં તથા મહાદરિદ્રી, મહારાગી, નીચકુળના કુમનુષ્યેામાં અનેક જન્મ ધારણ કરી તે અલ્પકાળના ભાગનું દુઃખરૂપ ફળ વિશેષ કાળ પર્યંત જીવ ભોગવે છે. આ જગતમાં આશા અને શંકા (ભય) બન્ને મેાહના ઉદ્દયથી જીવને નિરંતર વર્તે છે. આશા કરવાથી કંઈ મળતું નથી. સદાય સર્વ જીવ ધનની પ્રાપ્તિ, નીરોગીપણું, કુટુંબની વૃદ્ધિ, ઇંદ્રિયાનું બળ, પાતાની મોટાઈ વગેરે ઇચ્છે છે. પરંતુ ઇચ્છા કરવાથી કંઈ મળતું નથી. ખધા જીવા ઇચ્છા
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy