SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સલેબન-સહાય-ઉપદેશાદ ૩૬૮ પૂર્વકર્મને ઉદયરૂપ રસને સમભાવથી ભેગવે, તેથી અશુભ કર્મની નિર્જરા થઈ જશે અને નવીન કર્મને બંધ નહીં થાય. મરણ તે એક ભવમાં એક વાર આવવાનું જ છે; પરંતુ સંયમ સહિત મરણ કરવાને અવસર તે અહીં પ્રાપ્ત થયે છે, તેથી ભારે હર્ષ સહિત મરણને ભેટો; જેથી અનેક વાર જન્મ-મરણ કરવાં મટી જાય. હવે થોડું જીવવાનું છે એમાં ધર્મ છોડી આર્ત (દુઃખના લેશવાળાં) પરિણામ ન કરે. અશુભ કર્મને રોકવાને ઈન્દ્રાદિ સહિત સર્વ દેવે સમર્થ નથી તે અ૫ શક્તિધારી આ મનુષ્ય શી રીતે રોકી શકશે? જે વૃક્ષને ભાંગવાને મેટો હાથી સમર્થ નથી તેને બિચારું નિર્બળ સસલું કેવી રીતે ભાંગી નાખે? જે નદીના પ્રબળ પ્રવાહમાં, મહા ભારે કાયાવાળ બળવાન હાથી તણાતે ચાલ્યા જાય, તેવા પ્રવાહમાં સસલું વહ્યું જાય એમાં શું આશ્ચર્ય છે? જે કર્મના ઉદયને તીર્થંકર, ચકવર્તી, નારાયણ, બળદેવ અને દેવે સહિત ઈન્દ્ર પણ રેવાને સમર્થ નથી, તે કર્મને બીજો કેણ રેકવા સમર્થ છે? કર્મના ઉદયને અરેક જાણી અશાતાના ઉદયમાં ફ્લેશવાળા ન થાઓ; શૂરવીરપણું ગ્રહણ કરે; સમભાવથી કર્મની નિર્જરા કરે. કર્મના ઉદય વખતે દુઃખી થશે, રેશ, વિલાપ કરશો, દીનતા દર્શાવશે, તોપણ વેદના મટશે નહીં કે ઘટશે નહીં; ઊલટી વધશે જ. ધર્મ, વ્રત, સંયમ, યશ નાશ પામશે. આર્તધ્યાન કરવાથી ઘેર દુઃખ ભેગવનાર તિર્યંચમાં જઈને ઊપજશે; આમાં સંશય નથી. ' - અશાતાના ઉદયમાં સુખને માટે રચવું, વિલાપ કરે, દીનતા કરવી તે તેલને માટે રેતી પીલવા જેવું છે ઘીને ૨૪
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy