SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખના-સહાય-ઉપદેશાદ ૩૫૩ કરનારા, ધર્મને ઉપદેશ દેનારા, નિર્યામકે (સમાધિમરણ કરાવનારા) ની મદદ હોય છે. તેથી કર્મને જીતીને આરાધનની પ્રાપ્તિ થાય છે. ગૃહએ પણ ધર્મબુદ્ધિવાળા, શ્રદ્ધાવાળા, જ્ઞાનવાળા એવા સાધમને સમાગમ અવશ્ય મળવો જોઈએ. પરંતુ આ પંચમકાળ ઘણો વિષમ છે; તેમાં વિષયાનુરાગી તથા કષાયવાળા જીવોને સમાગમ સુલભ છે. રાગ, દ્વેષ, શેક, ભય ઉપજાવનારા, આર્તધ્યાન વધારનારા, અસંયમમાં પ્રવર્તાવનારા જેને જ સમાગમ થઈ રહ્યો છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિક સર્વે પિતાના રાગ, દ્વેષ, વિષય, કષામાં લગાડીને આત્મા ભુલાવનારા છે; સર્વ પિતા પોતાના વિષય-કપાય પિષવાને ઈચ્છે છે. ધર્માનુરાગી, ધર્માત્મા, પરોપકારી, વાત્સલ્ય ગુણના ધારક, કરુણા રસથી ભીંજાયેલા પુરુષોને સમાગમ મહા ઉજજ્વલ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે, તથાપિ પિતાના પુરુષાર્થથી ઉત્તમ પુરુષોના ઉપદેશને જેગ મેળવ. સ્નેહ, મેહના પાશમાં પાડનાર ધર્મ રહિત સ્ત્રી પુરુષોને સંગ દૂરથી તજવે; છતાં અણધાર્યો પરવશપણે કુસંગને પ્રસંગ આવી પડે તે તેની સાથે વાર્તાલાપને ત્યાગ કરી મૌન ધારણ કરી રહેવું. પિતાના કર્મને આધીન દેશ, કાળ પ્રમાણે જે સ્થાન મળ્યું હોય ત્યાં સૂવા-બેસવાનું રાખવું. જિનસૂત્રોનું પરમ શરણ ગ્રહણ કરવું; જિનસિદ્ધાંતને ઉપદેશ ધર્માત્મા પાસે શ્રવણ કરવો. ત્યાગ, સંયમ, શુભ ધ્યાન અને ભાવના વિસ્મરણ કરવી નહીં. ૨૩
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy