SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ન, જડ જેવા ૩૪૮ સમાધિ-સોપાન કાયસલ્લેખના : કાયાને કૃશ કરવી તે કાયસલ્લેખના છે. આ કાયાને જેમ જેમ પુષ્ટ કરે, સુખશીલિયા રાખો તેમ તેમ ઈદ્રિયના વિષયેની તીવ્ર લાલસા ઉપજાવે છે, આત્માની નિર્મળતાને નાશ કરે છે, કામ-લેભાદિકને વધારે છે; નિદ્રા, પ્રમાદ, આળસ આદિને વધારે છે, પરિષહ સહન કરવામાં અસમર્થ થાય છે, ત્યાગ સંયમ માટે તૈયાર થતી નથી. આત્માને ગતિમાં વાત-પિત્ત-કફ આદિ અનેક રેગે ઉત્પન્ન કરી મહા દુર્ગાન કરાવી સંસારપરિભ્રમણ કરાવે છે. તેથી અનશન આદિ તપશ્ચર્યા કરીને આ શરીરને કુશ કરવું, જેથી ગાદિ વેદના ઊપજતી નથી, પરિણામ મંદ, પુરુષાર્થહીન, જડ જેવા થતાં નથી. કાયસલેખન કરે તે અનુક્રમથી કરે. પિતાના આયુષ્યને અવસર જણાય તે પ્રમાણે દેહ ઉપરથી, ઈદ્રિયે ઉપરથી મમત્વ ઉઠાવી દઈને, આહારના સ્વાદ પ્રત્યે અરુચિ, વૈરાગ્ય આણને, વિચાર કરે કે, હે આત્મા! સંસારપરિભ્રમણ કરતાં તે એટલે આહાર કર્યો છે કે, એક એક ભવના એક એક કણને એકઠા કરીએ તે સુમેરુ પર્વત જેવડા અનંત ઢગલા થાય. અનંત જન્મમાં એટલું પાણી પીધું છે કે, એક એક જન્મનું એક એક ટીપું લઈએ તે અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલાં આહારપાણીથી પણ તૃપ્તિ થઈ નહીં, તે રેગ, વૃદ્ધાવસ્થા આદિકથી પ્રત્યક્ષ મરણ નજીક આવ્યું લાગે છે, એ અવસરમાં હવે, થડ આહાર લેવાય એટલાથી શી રીતે તૃપ્તિ થવાની છે? આ ભવમાં પણ જ્યારથી જન્મ લીધે ત્યારથી જ આહાર ગ્રહણ કર્યો છે. તે અનુભવ ઉપરથી લી.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy