SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સમાધિ-સે પાન વચન રહિત એકેદ્રિય, બેઈદ્રિય, ત્રીદિય, ચતુરિદ્રિય આદિના ભવમાં અસંખ્યાત દેહ ધારણ કરે છે. તેથી સત્ય-ધર્મનું ધારણ કરવું શ્રેષ્ઠ છે. ૫. ઉત્તમ શૌચ - જેનું આચરણ શુચિ–પવિત્ર હોય તે જગતમાં પૂજવા ગ્ય છે. શૌચ એટલે પવિત્રતા, ઉજજ્વળતા. જેની આહાર, વિહાર આદિ સર્વ પ્રવૃત્તિ હિંસારહિત હેય હિંસા ન થાય તે માટે યત્નાપૂર્વક વર્તે છે, તેમજ પરધન અને પરસ્ત્રીની વાંછા સ્વપ્ન પણ ન હોય, તેનું આચરણ ઉજજવળ છે. તેવાને જગત પૂજ્ય માને છે, નિર્લોભીને સર્વ લેક વિશ્વાસ કરે છે, તે જ લેકમાં ઉત્તમ છે, ઊંચી ગતિને પાત્ર છે. લભ રહિતને મહા યશ જગમાં ફેલાય છે, તેથી મહા મેલે અને સર્વ દોષનું ધામ છે, નિંદ્ય કર્મ કરતાં લેભી આંચકે ખાતે નથી. લેભને ગ્ય-અયોગ્ય, ભઠ્યઅભક્ષ્ય, કૃત્ય-અકૃત્યને વિચાર જ હેતું નથી. આ લેકમાં નિંદા, ધર્મથી વિમુખતા, નિર્દયતા લેભામાં પ્રગટપણે દેખાય છે. તેથી ધર્મ, અર્થ અને કામને નાશ કરે છે, તથા કુમરણ કરીને દુર્ગતિએ જાય છે. લોભીને હદયમાં સગુણને રહેવાને અવકાશ મળતું નથી. આ લેક, પરલેકમાં લેભને અત્યંત દુઃખ અને કલેશ સહન કરવો પડે છે. માટે લેભ તજીને શૌચ ગુણ ધારણ કરે શ્રેષ્ઠ છે. ૬. ઉત્તમ સંયમ – સંયમ આત્માને કલ્યાણકારી છે. સંયમી પુરુષ આ લેકમાં વંદન કરવા યેાગ્ય છે, તે સર્વ પાપથી નિર્લેપ રહે
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy