SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સમાધિ-સંપાન કે પુરુષના ભેગમાં રાગી જે મનરૂપ મદોન્મત્ત હાથી છે, તેને વૈરાગ્યની ભાવનામાં રેકીને, વિષયેની આશાને અભાવ કરીને, દુર્ધર બ્રહ્મચર્ય ધારણ કરે. - કામ-વિકાર ચિત્તરૂપી ભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેની પીડા સહન નહીં થવાથી જીવ નહીં કરવા ગ્ય એવાં પાપ કરે છે. કામ મનનું મથન કરે છે, મનમાંના જ્ઞાનને નાશ કરે છે તેથી કામનું નામ “મનમથ” પડયું છે. જ્ઞાનને નાશ થવાથી અથવા વિવેચક્ષુને નાશ થવાથી જ સ્ત્રીને મહા દુર્ગધી નિંદ્ય શરીરમાં રાગી બની, તેનું સેવન કરે છે. કામથી અંધ બની મહા અનીતિ કરે છે –પિતાની કે પરની સ્ત્રીને વિચાર પણ કરતા નથી. આ દુરાચારથી આ લેકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મોતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાત કાળ પર્યત ઘોર દુઃખ ભેગવવાં પડશે, વળી તિર્યંચ(પશુ આદિ)ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભેગવવાં પડશે, કદાચ મનુષ્ય થઈશ તે. આંધળે, લૂલે, કુબડે, ગરીબ, અપંગ, બહેરે, બેબડો થઈશચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળમાં જન્મવું પડશે; ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જંતુ થઈ અનંત કાળ સુધી જન્મ, મરણનાં દુઃખ ભેગવવાં પડશે. આ સત્ય વિચાર કામીને ઊપજ નથી. કામ-વિકારનાં અનેક સ્વભાવસૂચક નામ જગતમાં પ્રસિદ્ધ છે. કે એટલે બેટો, દર્પ એટલે ગર્વ, તે ઉપરથી કંદર્પ નામ પડ્યું છે. દુષ્ટ ગર્વ ઉપજાવે તે કંદર્પ. અતિ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy