SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમાધિ-પાન છે, અન્ય પ્રકારનાં નથી એવી અકંપ એટલે તરવારના પાણી પિઠ અચલ, સન્માર્ગમાં સંશય રહિત રૂચિ-શ્રદ્ધા તે નિઃશંક્તિ ગુણ છે. ગદા, ચક, ત્રિશૂલ આદિ અનેક પ્રકારના આયુધવાળા અને સ્ત્રીઓમાં અતિ આસક્ત, ક્રોધી, માની, માયાચારી, લેભી અને પિતાનાં કરેલા કામને દેખાવ કરવાને ઈચ્છનારા હેય તેમને સંસારમાં દેવ કહે છે. હિંસા તથા કામ ક્રોધાદિકમાં ધર્મ જણવનાર–પ્રરૂપનાર-મનાવનાર શાસ્ત્રને સંસારમાં આગમ કહે છે, તેમજ અનેક પાખંડી, લેભી, કામી, અભિમાનીને લેકે ગુરુ કહે છે. પરંતુ સદેવ, સરુ, સતુશાસ્ત્ર કદી એવા હેય નહીં એવી જેને દૃઢ શ્રદ્ધા છે, તેનું ચિત્ત મૂઢ લેકેની બેટી યુક્તિથી ચલાયમાન થતું નથી. કુદેવતાઓ પ્રસન્ન કરે કે વશ કરે તેવા મંત્ર-તંત્રાદિથી પણ તેની શ્રદ્ધાનાં પરિણામ વિકારી, ચલિત થતાં નથી. જેવી રીતે તરવારનું પાણી પવનવડે ચલાયમાન થતું નથી, તેવી રીતે મિથ્યાવૃષ્ટિનાં વચનરૂપ પવનવડે સત્યાર્થ દેવ, ગુરુ, ધર્મને સ્વરૂપ વિષે જેનાં પરિણામ સંશયવાળાં થતાં નથી, તેને નિઃશંક્તિ ગુણ હોય છે. આત્મતત્ત્વનું સ્વરૂપ નિર્દોષ આગમમાં કહ્યું છે, તે જેણે સ્વાનુભવ કરીને આત્માને આત્મા જા (પિતાને પિતે જાણ્ય), અને પર પુદ્ગલના સંબંધને પર સ્વરૂપ જાણે એવા સમ્યફષ્ટિ સાત ભયથી રહિત થઈને નિઃશંકિત ગુણ પામે છે. સાત ભય : ૧ આ લેકને ભય, ૨ પરલેકને ભય, ૩ મરણને ભય, ૪ વેદનાભય, ૫ અરક્ષાને ભય, ૬ અગુપ્તિ ભય, ૭ અકસ્માત ભય.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy