SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિÀાપાન જે વચન સાંભળી અસહ્ય ઘા લાગી જાય અથવા પ્રાણ છૂટી જાય તે ભૂતવધકર ભાષા છે. આ દશ પ્રકારનાં નિંદ્ય વચન ત્યાગવા યેાગ્ય છે. ૨૮૪ સ્ત્રીઓના હાવભાવ, વિલાસ-વિભ્રમ, રૂપ, ક્રીડા, વ્યભિચાર જણાવનારી, કામને જગાડનારી અને બ્રહ્મચર્યના નાશ કરનારી કથા તે સ્ત્રીકથા છે. ભાજન-પાનમાં રાગ કરાવે તેવી કથા તે ભેાજનકથા છે. રૌદ્ર કર્મનું વર્ણન કરે તેવી કથા તે રાજકથા છે. તથા ચારાની કથા, મિથ્યાવૃષ્ટિ કુલિંગીની કથા, ધંધાની–કમાવાની કથા, વેરી, દુષ્ટને તિરસ્કાર કરવાની કથા, હિંસાને પોષનાર શાસ્ત્રની કથા એ સર્વ કથાઓ કહેવા ચાગ્ય નથી, સાંભળવા યાગ્ય નથી. પાપ બંધાવનારી અપ્રિય ભાષા તજવા ચેાગ્ય છે. હે જ્ઞાની ! એ ચાર પ્રકારની નિંઘ ભાષા ક્રોધને વશ થઈને, લાભને વશ થઈને, મને વશ થઈને, ભયથી, દ્વેષથી કદી ન કહેા. પેાતાને અને પરને હિતકારી વચન બેલે. આ જીવને હિતરૂપ, અર્ધવાળાં, મધુર વચન જેટલું સુખ ઉપજાવે છે, નિરાકુળ કરે છે, દુઃખ દૂર કરે છે તેટલું સુખ ઉપજાવનાર, શાંતિ આપનાર, દુઃખ દૂર કરનાર ચંદ્રકાંતમણિ, જળ, ચંદન, માતી વગેરે કોઈ પદાર્થ નથી. પેાતાના ખેલવાથી ધર્મનું રક્ષણ થતું હોય, પ્રાણીએ ઉપર ઉપકાર થતા હાય, ત્યાં વગર પૂછયે પણ ખેલવું. જ્યાં સ્વપરનું હિંત થતું ન હેાય ત્યાં મૌન ધારણ કરવું યાગ્ય છે. સત્ય વચનથી સર્વ વિદ્યાએ દેનાર અને લેનાર સત્યવાદી હેાય તે સિદ્ધ થાય છે, વિદ્યા વિદ્યા સિદ્ધ થાય છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy