SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સમાધિ પાનમશ્કરી કરવા વિકારી વચન બોલવાં તથા સાંભળનારને પાપમાં પ્રેરનાર અને પ્રેમ ઊપજે તેવા વચન તે હાસ્ય. નામે ગહિત અસત્ય વચન છે. કોઈને એમ કહેવું કે તું મંદ છે, મૂર્ખ છે, અજ્ઞાની છે, ઈત્યાદિ કર્કશ વચન છે. દેશ, કાળને યેગ્ય નહીં તેવાં પિતાને અને પરને. મહા સંતાપ ઉપજાવનાર વચન અસમંજસ વચન છે. પ્રયજન વગર ઉદ્ધતપણે બકવાદ કરે તે પ્રલપિત. વચન છે. ૨. જે વચનથી પ્રાણીઓની ઘાત થાય, દેશમાં ઉપદ્રવ થાય, દેશ લૂંટાઈ જાય, કલહ, કંકાસ, લડાઈ મંડાય, ખેદ. પામીને મરી જાય કે મારી જાય, વૈર બંધાય, છકાય જીવની ઘાતને પ્રારંભ થાય, મહા હિંસામાં પ્રવૃત્તિ થાય તે સાવદ્ય વચન કહેવાય છે. કેઈને ચેર, વ્યભિચારી વગેરે સાવદ્ય વચન કહેવા એ દુર્ગતિનું કારણ છે, તેથી તજવા યેગ્ય છે. ૩. સત્યવાદી નીચે જણાવેલા દશ ભેદવાળી, અપ્રિય. વચન નામની અસત્ય ભાષા પણ તજે છે. અપ્રિય વચનના દશ ભેદ : કર્કશ, કટુક, પરુષ, નિષ્ફર, પરકપણી મધ્યકૃષ, અભિમાની, અનયંકર, છેકર અને ભૂતવધકર. તું મૂર્ખ છે, આખલે છે, ઢેર છે, હે મૂર્ખ ! તું શું સમજે, ઈત્યાદિ કર્કશ ભાષા છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy