SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સમાધિ-સેવાન છે. ૩. પાપબંધનું કારણ સદોષ દ્રવ્યોને કે તપ, સંયમના હેતુથી નિર્દોષ દ્રવ્યોને પણ મન, વચન, કાયાથી ત્યાગ કરે તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. ૪. અસંયમના કારણરૂપ ક્ષેત્રને ત્યાગ તે ક્ષેત્ર પ્રત્યાખ્યાન છે. પ. અસંયમના કારણભૂત કાળને ત્યાગ તે કાળ પ્રત્યાખ્યાન છે. ૬. મિથ્યાત્વ, અસંયમ, કષાય આદિને ત્યાગ તે ભાવ પ્રત્યાખ્યાન છે, કાન્સગના છ પ્રકાર – ૧. પાપનાં કારણ એવાં કઠોર, કડવાં નામ આદિથી લાગેલા દોષ દૂર કરવા કાર્યોત્સર્ગ કરે તે નામ કાર્યોત્સર્ગ છે. ૨. પાપરૂપ સ્થાપનાથી લાગેલા અતિચાર દૂર કરવા કોત્સર્ગ કરે તે સ્થાપના કાર્યોત્સર્ગ છે. ૩-૪-૫. દેષવાળાં દ્રવ્યો સેવવાથી તથા સદોષ ક્ષેત્ર-કાલના સેવનથી સંઘાતે ઊપજેલા દેષ દૂર કરવા કાર્યોત્સર્ગ કરે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ કાયેત્સર્ગ છે. ૬. મિથ્યાત્વ, અસંયમ આદિ ભાવે વડે થયેલા દોષ દૂર કરવા કાર્યોત્સર્ગ કરે તે ભાવ કાર્યોત્સર્ગ જાણે, ગૃહસ્થનાં બીજ છે આવશ્યક છે. ૧. ભગવાન નિંદ્રનું નિત્ય પૂજન કરવું. ૨. નિગ્રંથ ગુરુની સેવા, સ્તવન, ચિતવન નિત્ય કરવાં. ૩. જિનેન્દ્ર કહેલાં શાસ્ત્રોને નિત્ય સ્વાધ્યાય કરે. ૪. ઇદ્રિને વિષયમાં દેડતી શેકવી. પ. છ કાય જીવની દયા પાળવી તે સંયમ છે. ૬. શક્તિ પ્રમાણે નિત્ય તપ કરવું અને શક્તિ પ્રમાણે નિત્ય દાન દેવું. આ છ પ્રકારનાં આવશ્યક ગૃહસ્થ નિત્યનિયમ તરીકે
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy