SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સવેગભાવના ૧૮૧. સંતાનને ભણાવે, અન્ય જનેને વિદ્યાને અભ્યાસ કરાવો. ધનવાન હો અને પિતાના ધનને સફળ કરવા ઈચ્છતા હે તે ભણનારા અને ભણાવનારાને આજીવિકા આદિ દઈને સ્થિરતા કરાવે; પુસ્તકો લખાવી દે, વિદ્યા ભણનારાઓને પુસ્તક આદિ આપે. પુસ્તકે શુદ્ધ કરે, કરા, છપાવે. ભણવા, ભણાવવાને અર્થે સ્થાન આપે. નિરંતર ભણવામાં, શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મને કાળ વ્યતીત કરે. આ અમૂલ્ય અવસર ચાલ્યા જાય છે. જ્યાં સુધી આયુષ્ય, કાયા, ઈદ્રિય, બુદ્ધિ ટકી રહે ત્યાં સુધીમાં મનુષ્ય જન્મની એક ઘડી પણ સમ્યકજ્ઞાન વિના ગુમાવશો નહીં. જ્ઞાનરૂપી ધન પરલેકમાં પણ સાથે જાય છે. આ અભણ જ્ઞાને પગને મહિમા કરડે જીભેથી પણ વર્ણવ્યું જાય એમ નથી. તેથી જે ગૃહસ્થ ધન સહિત હોય તે ભાવના ભાવીને અર્થ ઉતારે જે ત્યાગી હોય તે નિરંતર ભાવના ભાવે. ૫. સંવેગ ભાવના : સંસાર, દેહ અને ભેગે પ્રત્યે વિરક્તપણે (ઉદાસીનતા), અણુરાગ (અણગમે) અને ધર્મ પ્રત્યે અને ધર્મના ફળ પ્રત્યે અનુરાગ રાખ તે સંવેગ છે. આ સંસારમાં જે પુત્ર ઉપર રાગ કરીએ છીએ તે પુત્ર જન્મ લેતાં જ સ્ત્રીનું યૌવન, સૌંદર્ય આદિ બગાડે છે. જમ્યા પછી ઉછેરતાં ઘણું આકુળતા, ઘણું કષ્ટ અને ધનને ખરચી કરાવે છે. રેગ આદિ થાય નહીં માટે ઘણી સંભાળ રખાવે છે. મેટો કરવામાં મહા મહી, મહા રાગી બનાવી સૂગ આવે
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy